કોરોના પીડિતની મનોવ્યથા

Image
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?  👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?                   સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...

Request for Rehabilitate Diamond Workers...


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
પ્રતિશ્રી
હીરા ઉધોગમાં ફેકટરી (કારખાના) ચલાવતા શેઠશ્રીઓ

                  વિષય:તમારી કંપનીમાં કામ કરતા રત્નકલાકારો (કામદારો) ના પગાર વધારવા બાબતે

             જય ભારત સાથે જણાવવાનુ કે તમારા કારખાના મા કામ કરતા અમારા રત્નકલાકારો ના તમે જે પગાર ઘટાડી દીધા છે...
તે મહેરબાની કરી ફરીવાર હતા એટલા કરી દેવા નમ્ર વિનંતી છે..
કેમ કે હીરા ઉધોગ માંથી સરકારે જી.એસ.ટી.5% થી ઘટાડી ને 1.50% કર્યો છે જેનો સીધો ફાયદો માલિકો ને થશે

હીરા ઉધોગ ની અગ્રણી કંપની ડી.બિયર્સ એ પણ રફ ડાયમંડ ના ભાવ મા 5% નો ઘટાડો કર્યો છે

જેનો સીધો ફાયદો માલિકો ને થશે
ત્યારે મંદી મંદી કરીને તમે જે રત્ન કલાકારો ના પગાર 40%થી50% ઘટાડી દીધા છે એ તાત્કાલિક ના ધોરણે મુળ પગાર હતા એટલા કરી દેવા નમ્ર વિનંતી છે

કેમ કે અમારે પણ ઘર સંસાર છે
અમારા પણ બાળકો ભણે છે એની અમારે પણ તોતિંગ ફી ભરવી પડે છે જે ફી ભરવા અત્યારે અમે અસક્ષમ છીએ
અમારે પણ મકાન ભાડા ભરવા પડે છે
અમારે પણ આ મોંઘવારી નો માર સહન કરવો પડે છે
અમારે પણ બાઈક લોન અને વીમા પોલિસી ઓ ના હપ્તા ઓ લાઈટ બિલ સરકાર ના અને પ્રોફેશનલ ટેક્ષ સહિત ના તોતિંગ હપ્તા ભરવા પડે છે
અમારે પણ સમય ની સાથે ચાલવું પડે છે સાહેબ
દરેક ક્ષેત્રમાં મોંઘવારી પ્રમાણે કામદારો ના પગાર વધે છે ત્યારે હીરા ઉધોગ એ વિશ્વ ની આઠમી અજાયબી છે જયાં કામ કરતા રત્ન કલાકારો ના પગાર વધવાના બદલે ઘટે છે
પછી કારીગરો આપઘાત નો કરે તો કરે શું..?
માટે નવા વર્ષ મા અમારી એટલી વિનંતી છે કે કારીગરો નુ શોષણ બંધ કરીને રત્ન કલાકારો ના પગાર વધારી આપો
લી. તમારા કારખાનામાં કામ કરતો એક રત્ન કલાકાર..

🙏આ પોસ્ટ ને હીરા ઉધોગ ના તમામ કારીગરો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે🙏

Comments

Popular posts from this blog

કોરોના પીડિતની મનોવ્યથા

મા બાપને ભૂલશો નહીં

How to influence people to act in your favour..? - Part-2